આજરોજ તારીખ ૧૪ મી.. એપ્રિલના રોજ કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી નિમિતે ન્યાય સમિતિ કાંકરેજના સૌજન્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.

જેમાં શિહોરી નગર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી અને ત્યારબાદ તાલુકા પંચાયત કાંકરેજ ખાતે સભામંડપે બેઠક કરવામાં આવી જેમાં સભાના અધ્યક્ષ તરીકે શિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટર શ્રી ડી.એન. પરમાર સાહેબ ની વરણી કરવામાં આવી

અને તમામે હર્ષ સાથે વધાવી બાબાસાહેબની પ્રતિમાને દિપ પ્રાગટ્ય કરી ફુલહાર કરી આજના કાર્યક્રમની ખુલ્લો મુકવામાં આવ્યો. જેમો તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચ શ્રીઓ, થરા નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ ,કાકરેજ રોહિત સમાજના પ્રમુખશ્રી મુલચંદ ભાઈ મકવાણા અને મંત્રીશ્રી રઘુભાઈ માંડલા, માજી ચેરમેન શ્રી મેવાભાઈ સમણવા, સાંકાભાઈ ચૌહાણ,સામાજિક અગ્રણી રામજીભાઈ,નિવૃત કર્મચારી અમીચંદભાઈ તેમજ વિવિધ ગામડે થી પધારેલ ગ્રામજનોનો ન્યાય સમિતિના ચેરમેન શ્રી મનુભાઈ ચાંગેચાએ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા.

સાથે સાથે મહેમાન શ્રી ઓએ બાબાસાહેબ ના જીવન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને બાબા સાહેબના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી આજના કાર્યક્રમમાં શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી દેસાઈ સાહેબે હાજરી આપી સભાને સંબોધિત કરી ભાઈચારાની ભાવના વ્યક્ત કરી દરેકને માર્ગદર્શન આપ્યું આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વાલાભાઇ પરમાર પ્રમુખશ્રી ઉત્કર્ષ મંડળ બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે નોટરી એડવોકેટ શ્રી મહેશભાઇ મકવાણા દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિત દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો…



*અહેવાલ:- મહેશ ડાભાણી કાંકરેજ*

Design a site like this with WordPress.com
Get started